મંદિરો - યાત્રા ધામ

ગઢડાનું સ્વામિનારાયણ મંદિર

Swaminarayan Temple Gadhda

Swaminarayan Temple Gadhda

ભગવાન સ્વામિનારાયણના દેહ વિલયની સ્મૃતિરૂપ – ગઢડાનું મંદિર

સંવત 1886 જેઠ સુદ દશમ, મંગળવાર, દાદા ખાચરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ સ્વધામ સિધાવી ગયાં.દાદા ખાચરથી આ વિયોગ ન ખમાયો.મૂર્છિત થઈ ગયાં. ગોપાળનંદ સ્વામીએ તેમને લક્ષ્મીવાડીની બેઠકે મોકલ્યા. દાદા ખાચર ત્યાં ગયાં. શ્રી હરિ પણ ત્યાં હાજર હતાં. તેમણે દાદા ખાચરને કહ્યું, હું તો ક્યાંય ગયો નથી. અને જવાનો પણ નથી. સત્સંગમાં અને ગોપીનાથજી દેવમાં હું અખંડ રહ્યો જ છું.મૂંઝવણ થાય ત્યારે ગોપાનાથજી મહારાજ પાસે જવું.આમ બોલીને શ્રી હરિએ દાદા ખાચરને તાજા ગુલાબનો હાર આપ્યો. ગુલાબની તાજગીએ તેમને શ્રી હરિના શરણમાં લીન કર્યા.

દાદા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર બેસીને સહજાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો હતો તે દાદા ખાચર તથા તેમના વારસદારોએ આપેલી જમીન ઉપર ગઢડાનું મંદિર બંધાયું છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ગઢડાનું મંદિર વિશાળ જગ્યા રોકે છે. મુખ્ય મંદિરની આસપાસ સાધુસંતોને રહેવા માટે તથા મંદિરની સ્મૃતિને આવશ્યક મોટા મકાનો છે.વળી સહજાનંદ સ્વામીએ જાતે વાપરેલી અનેક ચીજો પણ આ મંદિરમાં સાચવીને રાખવામાં આવેલી દેખાય છે.


ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય. જે અણુંને ધારણા કરે છે. તે ધર્મ એટલે ગુણ,લક્ષણ કે સ્વભાવ,ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી,ગુલાબી માંથી મુક્ત થઈ માલિક બનવાનું સામર્થ્ય.સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators