ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

નવ કહેજો!

Shindhudo Book by Jhaverchand Meghani

રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ :

જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ –
એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’

દમ દમ કર્મે મચી રહેતાં
ઊછળે ઉરમાં ધબકાર;
ભલી એ એની વિશ્રાંતિ,
એ સુખ, જીવનઆધાર :

એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો : ‘પ્રભુ દે એને વિશ્રામ !’


ધગધગ ધખતા સહરામાં
એ મહાલે શીતળ સેજ;
ઘન ઘન અંધારનિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ:

વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’

જ્યમ શતશત પહાડશિખરથી
જળધોધ ઘૂઘવતો જાય,
જ્યમ ખુશખુશાલ કો’ જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય;

ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’

વનવનમાં વદન હસવતી
કો’ સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય :

સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌન વિરામ-
એ સુભટ કાજ કો’ નવ કહેજો: ‘પ્રભુ દે એને વિશ્રામ !’
[૧૯૨૮-૨૯]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators