ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

નાનું સરખું ગોકુળિયું

Charan Kanya by Zaverchand Meghani

નાનું સરખું ગોકુળિયું
મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,
ભક્તજનોને લાડ લડાવી
ગોપીઓને સુખ દીધું રે.

ખટદર્શને ખોળ્યો ન લાધે,
મુનિજનને ધ્યાન ના’વે રે
છાશ વલોવે નંદ ઘેર વ્હાલો
વૃંદાવન ધેનુ ચરાવે રે.

વણકીધે વહાલો વાતાં કરે,
પૂરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ
ઊભો વદન વિકારી રે.

બ્રહ્માદિક જેનો પાર ન પામે,
શંકર કરે ખવાસી રે,
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ,
મુક્તિ સરીખી દાસી રે.


– નરસિંહ મહેતા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators