કલાકારો અને હસ્તીઓ

નારાયણ સ્વામી

Narayan Swami

શક્તિદાન મહીદાન લાંગાવદરા
૨૯-૬-૧૯૩૮ થી ૧૫-૯-૨૦૦૦

નારાયણ સ્વામી રાજકોટ શહેરનાં વતની હતાં. તેઓ ગુજરાતી ભજન નાં એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓનાં ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એવા કાર્યક્રમો ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. જેમાં તેઓ ભારતીય દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોએ રચેલ ભજનો સંભળાવીને બધા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.

નારાયણ સ્વામીએ સંસાર માંથી સન્યાસ લીધો હતો. શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલ શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં. જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં તેમની સાથે વેરાવળ (શાપર)નાં મુળુભા(બચુભાઈ) તેમજ અન્ય સાથીદારો એ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલ આશ્રમમાં રહેતા હતાં. તેનું પુર્વાશ્રમનું નામ શક્તિદાન ગઢવી હતું. તેનો આશ્રમ ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બિમાર તથા અશક્ત ગાય ની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલ. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલ છે.


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators