ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

નિરખને ગગનમાં કોણ

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
‘તે જ હું’, ‘તે જ હું’, શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ,
અહીંયા કો નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ ને ચૈતન્ય રસ કરી જાણવો
પકડી પ્રેમે સંજીવન-મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિ કોટમાં,
હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે,
સોનાના પારણા માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાએ રસ સરસ પીવો.


અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,
અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે.

– નરસિંહ મહેતા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators