તેહવારો

મકરસંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ

Surya Narayan Dev

મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છ. અહિં સંક્રમણ એટલે મુળ જગ્‍યાએથી બીજી દિશા તરફ પ્રયાણ કરવું અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવું સુર્ય મકરરાશિમાં પ્રવેશતા જ તેજોમય બને છે અને અંધારું ધીમે-ધીમે ઘટવા લાગે છે. સુર્યનું આ સંક્રમણ માનવજાતને પણ એટલું જ લાગુ પડે છે. જેમ-જેમ સમયચક્ર આગળ વધે છે તે જ રીતે પરીવર્તન કરવું જરૂરી છે. સમયનાકદમ સાથે તાલ ન મિલાવનાર ફેંકાઇ જાય છે. અહિં સંક્રમણનો એક અર્થ વિકાસ પણ છે. માણસે જે નિરર્થક અને બાધારૂપ હોય તે જુની બાબતો છોડીને નવી બાબતોને અપનાવતા રહેવું પડે છે. સળગ માનવજાત માટે કર્મયોગી બનેલો સુર્ય જે રીતે પરિવર્તનનો માર્ગ પકડે છે તેજ રીતે આપણે પણ અજ્ઞાન રૂપી અંધકાર છોડીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ પ્રયાણ કરવું જોઈએ કારણકે જો જ્ઞાન આવશે તો આપણે સારા-નરસાનો ભેદ જોઈ શકીશું. મકરસંક્રાતિમાં સંક્રાંતિ એટલે કે સમ્‍યક ક્રાંતિનો પણ સમાવેશ થાય છે. ક્રાંતિમાં હિંસાનો ઉપયોગ પણ થતો હોય છે. પરંતુ સંક્રાંતિમાં તો વિચારોને પરિવર્તન કરવાની વાત છે. આમ, ક્રાંતિ કરતા સંક્રાતિમાં બુધ્ધિ અને સમજદારીને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યુ છે. સંક્રાતિનો બીજો અર્થ સમુહ-ક્રાંતિ પણ થાય છે. અહિં સમુહ એટલે કે સંઘ કે સંગઠન, લોકો એકત્રિત થઈને કોઈ કાર્ય હાથમાં લે તો ગમે તેવા કપરા કાર્યો પણ પાર પડી શકે છે. કારણકે સંગઠન એ અનેક શક્તિઓની કરોડ રજજુ છે, જે અશકયને શકય બનાવે છે. આ બધામાં પરિવર્તન માટે હાથ ધરેલા કાર્યની દિશા સૂર્યની જેમ પ્રકાશ તરફ એટલે કે અસતમાંથી સત્ તરફ જવાની હોવી જોઈએ તો જ તેનું મહત્‍વ જળવાઈ રહે. આ સંક્રાંતિને સંગ ક્રાંતિ તરીકે પણ ઓળખી શકાય. અહિં સંગ એટલે કે રાગ-દ્રેષ, મોહ-માયા, લોભ, અભિમાન વગેરેને છોડી માનવતા, પ્રામાણિકતા, શુધ્‍ધ આચાર, વિચાર, સત્‍ય, સતકર્મો પ્રભુ ભક્તિ વગેરેનો સંગ એટલે કે સતનો સંગ કરવો, મહાભારતમાં અર્જુને શ્રી કૃષ્‍ણનો સંગ કરી પોતાના લક્ષ્‍યો હાંસલ કર્યા હતા. બીજી બાજુ તેનો જ ભાઈ કર્ણ દુઃર્યોધન અને દુઃશાસન જેવાની કુસંગતિને કારણે પોતે અર્જુન જેવો જ વીર હોવાં છતાં પતન પામ્‍યો આમ સંગ હોવો જોઈએ પરંતુ કૂસંગ નહિ. આમ, મકરસંક્રાંતિ સમગ્ર્ માનવજાતને અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવા અર્થાત અસતમાંથી સત તરફ સમજદારીપૂર્ણ ક્રાંતિ એટલે કે સંક્રાતિ, સુસંગ, આમૂદાયિક શક્તિ વગેરેનો આપણને મહિમા જણાવે છે.

Bhismapita on baan shaiyaમહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભિષ્મપિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ જયંતિ તરિકે પણ ઉજવવામાં આવે છે.

Happy Makar Sankrantiમકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.

Gau Pujaપરંપરા અને અનુષ્ઠાનો:
મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.
મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાન્તિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.


Ladoo of Til મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઊં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઊંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

Happy Utrayaanગુજરાતની ઉત્તરાયણ વિશે તો એટલુ જ કહેવુ છે કે

હે…………અનેરો ઉત્સાહ લઈને આવી ઉત્તરાયણ રે,
હો દોરાને સંગ અને પતંગોને સંગ કેવી સજી રે ઉત્તરાયણ રે
ઊંધિયુ ને સેવ સાથે, ફાફડા જલેબી સાથે કેવા થયા ધેલા ગુજરાતીઓ રે………
જી રે કેવા ધેલા થયા ગુજરાતીઓ રે.

Happy Utrayanઉજવણી: આનંદ અને પતંગનો તહેવાર ઉત્તરાયણ
ઉત્તરાયણ શબ્દ,બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકર સંક્રાન્તિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.
ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં ‘ટુક્કલ’ તરિકે ઓળખવામાં આવે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) ‘વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators