ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

વચન વિવેકી જે નરનારી પાનબાઈ

Ganga Sati

વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય રે,
યથાર્થ વચનની સાન જેણે જાણી
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી.

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે,
એ તો ગત ગંગાજી કહેવાય રે,
એકમના થઈને આરાધ કરે તો,
નકલંક પ્રસન્ન થાય રે… વચન વિવેકી.

વચને થાપન ને વચને ઉથાપન !
વચને મંડાય પ્રભુનો પાઠ રે,
વચનના પૂરા એ તો નહિ રે અધૂરા,
વચનો લા’વે જોને ઠાઠ રે … વચન વિવેકી.

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
કરવો વચનવાળાનો સંગ રે … વચન વિવેકી.


ગંગા સતી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators