ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

આજ વૃંદાવન આનંદસાગર

Adi Kavi NArsinh Mehta

આજ વૃંદાવન આનંદસાગર,
શામળિયો રંગે રાસ રમે;
નટવર-વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ,
કર ગ્રહી મંડળ માંહે ભમે;
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,
ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુનાતીરે
તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન
પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,
એને કાજે જે દેહ દમે.


– નરસિંહ મહેતા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators