મંદિરો - યાત્રા ધામ

ભુરખીયા હનુમાન મંદિર

Bhurakhiya Hanuman Temple
ભુરખીયા હનુમાન મંદિર , તા.લાઠી, જી. અમરેલી

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ:
ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય છે. જેથી લાઠીથી ભુરખીયા ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી તથા દામનગર તરફથી આ સ્થળ ૬ કી.મી. થાય છે. ત્યાંથી વાહન સુવિધા સતત ચાલુ જ હોય છે.

અંતર કી.મી.(જિલ્લા કક્ષાએથી) :
જિલ્લા કક્ષાએથી ભુરખીયા મંદિર ૩૪ કી.મી. અંતરે આવેલ છે.

અગત્યનો દિવસ :
ચૈત્ર માસની પુનમ એટલે કે હનુમાન જયંતિ અહીંનો શ્રેષ્ઠ દિવસ છે. અહીં વિશાળ પ્રમાણમાં ભકતો દર્શન કરવા માટે ચાલીને આવતા હોય છે. અહીં આ દિવસે મોટો લોક મેળો હોય છે. ચૈત્ર માસમાં ભકતોથી આ મંદિર ભરાયેલ હોય છે. આ ઉ૫રાંત વર્ષના તહેવારો જેવા કે દિવાળી, નૂતનવર્ષ, હોળી, રામનવમી, જેવા તહેવારોમાં અહીં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

અનુકુળ દિવસ :
અઠવાડીયામાં મંગળવાર તથા શનિવાર મુખ્યના દિવસો છે. લોકો આ દિવસે વધારે પ્રમાણમાં દર્શન કરવા આવે છે.


અનુકુળ સમય :
ભુરખીયા મંદિર લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અનુકુળ સમયમાં વર્ષના દરેક દિવસે આ મંદિરે જઈ શકાય છે. ચોમાસામાં, ઉનાળામાં કે શિયાળામાં ભુરખીયા મંદિરે ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી. રોડ સારો અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત હોય આખુ વર્ષ અનુકુળ ગણાય છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators