મંદિરો - યાત્રા ધામ

દ્વારિકાધીશ મંદિર

Dwarikadhish Temple Dwarika

દ્વારિકાધીશ મંદિર (dwarika temple)

દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા માટે શ્રી કૃષ્‍ણ દ્વારિકા આવ્‍યા.

દ્વારિકા સ્‍વર્ણ નગરી તરીકે પ્રખ્‍યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્‍ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્‍ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્‍વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી. તેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્‍ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.

દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. દ્વારિકાની ધજા દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે.


ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાંચ રૂમોવાળા મંદિરમાં ૬૦ પિલ્‍લરો આવેલા છે. યાત્રાળુઓ સ્‍વર્ગ દ્વારામાં પ્રવેશીને મોક્ષ દ્વાર ને પ્રાપ્‍ત કરે છે.

મંદિરના સ્થાપ્ત્યમાં બેનમુન કોતરણી કામ કરવામાં આવેલું છે. ગોમતી નજીક મંદિરને શાહી અંદાજમાં બનાવવામાં આવેલ છે.

દ્વારકાના બીજા મંદિર ત્રિકોણ મંદિર, કલ્‍યાણી મંદિર, પટરાણી મંદિર, દુવાસા મંદિર, વગેરે આવેલા છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ચાર મઠોમાં એક મઠ તથા જ્યોર્તિલિંગ અહીં છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators