ઈતિહાસ

ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક

Gulf of Khambhat

બાબરિયાવાડ પંથક
બાબરિયાવાડ એ દરિયાકાંઠા ઉપર ગોહિલવાડ અને સોરઠ એ બેની વચ્ચે આવેલો પંથક છે. એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલનું ગણાય છે. બાબરિયા રાજપૂતો ઉપરથી આ પરગણાનું નામ પડયાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. તેમાં ઘણાં નાના સંસ્થાનો તથા જંજિરાના હબસી રાજવીનું જાફરાબાદ પણ છે. બાબરિયાવાડ હાલમાં સોરઠમાં ભળી ગયેલું છે.

ઉંદસરવૈયા પરગણું 

ગોહિલવાડને અડીને ઉંદસરવૈયા પરગણું આવેલું છે. આ સૌથી નાનો પ્રાંત છે. તેનું ક્ષેત્રફળ ૧૬૦ ચો.માઈલ ગણાય છે. એની પૂર્વ અને દક્ષિણ સીમાએ ખંભાતનો અખાત અને શેત્રુંજી નદી છે. ઉંદસરવૈયા પાછળથી ગોહિલવાડમાં ભળી ગયું હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.

સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators