સૌરાષ્ટ્રનો ઈતિહાસ,
મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..
ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…
વિર ચાંપરાજ વાળા
દિલ્લીના સુલતાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નુ જેતપુર ના પાંચપીપળા ગામે યુધ્ધ થયુ હતુ. વિર ચાંપરાજવાળાએ હરનાથગીરી…
જનેતાના દૂધમાં ભાગ
જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી…
જુનાગઢને જાણો
‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની…
કથાનિધિ ગિરનાર
ભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક…
સતી રાણકદેવી
રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને…
કહેવતો એટલે સત્યનો નીચોડ
ચિતળમાં ન દેવી દીકરી, શેડુભારમાં ન દેવો ઢાંઢો; અમરેલીમાં વરાવવો ન છોકરો, ભલે રિયે વાંઢો..!! ઉપરનો દુહો વાંચીને…
ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે…
શ્રી રાણી માં શ્રી રૂડી માં
કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને…
જેસોજી-વેજોજી
જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે,…
જનની જણ તો ભક્ત જણ જે
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા…
જોગીદાસ ખુમાણ
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર…
સત નો આધાર -સતાધાર
સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર…
