મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
મેર જ્ઞાતિ
August 5, 2014
3,434 Views
1 Min Read

આ પણ વાંચો
દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ) રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ...
સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકીકાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. એ નામો અસંખ્ય મુસ્લિમ તવારીખો અને અંગ્રેજી ઇતિહાસોમાંથી મળી આવે છે...
જુનાગઢ શહેર ની મધ્ય માં આવેલું ખુબજ રમણીય તળાવ એટલે નરસિંહ મેહતા તળાવ, શિયાળાની ઋતુ માં યાયાવર પક્ષીઓ અહિયાં પણ આવે છે, રવિવારે તો આ તળાવ ની પાળી પર જાણે...
Subscribe Here
Advertisement
કાઠિયાવાડ ગેલેરી
- ઈતિહાસ257
- ઉદારતાની વાતો32
- કલાકારો અને હસ્તીઓ42
- કહેવતો8
- ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં63
- જાણવા જેવું53
- તેહવારો31
- દુહા-છંદ96
- પાળીયા16
- ફરવા લાયક સ્થળો95
- બહારવટીયાઓ16
- ભજન-પ્રભાતિયા-પ્રાર્થના135
- મંદિરો – યાત્રા ધામ110
- લગ્નગીત45
- લોકગીત46
- શહેરો અને ગામડાઓ73
- શુરવીરો38
- શૌર્ય કથાઓ38
- શૌર્ય ગીત36
- સંતો અને સતીઓ50
- સેવાકીય કર્યો19
માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો
Follow us on Instagram
[instagram-feed]