ઈતિહાસ સંતો અને સતીઓ

આઈ શ્રી જીવણી

Aai Shree Jivni Sinhmoy Mataji

સરધારની સિંહમોય માતાજી (આઈ શ્રી જીવણી) નો ઇતિહાસ

Aai Shree Jivni Mataji Sinhmoy Maaઆઈ જીવણીના પિતા શ્રી એટલે ધાનોભાઈ નૈયા, આઈનાં માતાનું નામ બાયાંબાઈ, આઈ જીવણીના પિતાનું મૂળ વતન કચ્છ હતું. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતો હોવાથી તેઓ પોતાના ઢોર ઢાંખર ને હાંકીને અન્ય ચારણો સાથે સૌરાષ્ટ્રમાં વસવાટ કરવા આવેલા અને ખડ-પાણીની વ્યવસ્થા હોય ત્યાં ચરણો પોતાનો નેસ બાંધીને રહેતા. સં. ૧૭૮૮ આજુબાજુના સમયમાં તેઓ સરધારની સીમમાં ખડ-પાણીની સારી વ્યવસ્થા જોઈને નેસ બાંધીને રહેવા લાગ્યા. આઈ જીવણીની ઉંમર તે વખતે લગભગ ૧૭ વરસ લગભગની હશે. આઈ જીવણી શરીરે ખડતલ અને દૃઢ મનોબળવાળાં તથા બહુ સ્વરૂપવાન હતા, આઈ ના માતા-પિતા તથા કુળ-કુટુંબના સૌ સભ્યો આઈ ને જગદંબાનો અવતાર માનતાં. નાની ઉંમરથી જ એમને સૌ કોઈ આઈ કહીને બોલાવતા.

આઈ જીવણી અનેકવાર પોતાના પિતાની સાથે ઘી વેચવા તેમજ માલ ઢોર માટે કપાસિયા અને દાણ ખરીદવા સરધાર બાજુ જતાં. એમનું દિવ્ય સ્વરૂપ જોઈ સૌ લોકો તેમને વિનયપૂર્વક હાથ જોડી આઈ ની જેમ નમન કરતા. આઈ જીવણી જગદંબા સ્વરૂપ છે એવી કીર્તિ ધીમે ધીમે આજુબાજુ ના નેસ અને ગામો માં પ્રસરવા લાગી, આસપાસનાં ગામોમાંથી લોકો તેમનાં દર્શન માટે ધાનાનૈયા ના નેસે આવવા મંડ્યા.

સંવત ૧૭૮૯ નો સમય હતો જયારે આઈ જીવણીની ઉંમર લગભગ અઢાર વર્ષની હતી. એ વખતે રાજકોટ માં મુસલમાન શાસકનું રાજ હતું અને તેના તરફથી સરધારના વહીવટદાર તરીકે બાકરખાન નામનો એક શેખ વહીવટ ચલાવતો હતો. જુવાન વયનો એ બાકરખાન ઘણો લંપટ, હીન પ્રકૃતિનો હતો. પ્રજાની અનેક કુળવધૂઓ, બહેન-દીકરીઓ ની લાજમર્યાદા એણે લોપેલી. અનેક બાઈઓ બહેનો બાકરખાનના કારણે આપઘાત કરી મરી ગયેલી. બાકરખાનના જુલ્મથી પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલી. આ દરમિયાન કેટલાક ત્રાસિતોની ફરિયાદો આઈ જીવણી પાસે પણ આવેલી. એ જુલ્મોની વાતો સાંભળીને આઈનો આત્મા કળકળી ઉઠ્યો. એમણે ફરિયાદીને આશ્વાસન આપ્યું કે, એ પાપી ના પાપોનો ઘડો હવે ભરાઈ ગયો છે. જગદંબા થોડા સમયમાં જ તમારા દુ:ખનું નિરાકરણ લાવશે.

થોડો સમય વીત્યા પછી એક દિવસ આઈ તેના પિતાની સાથે ખરીદી કરવા સરધાર ગયેલાં. ત્યાં વેપારી સાથે હિસાબ કિતાબ ચાલતો હતો ત્યારે શેખ બાકરખાનનો એક હજૂરિયો આઈને જોઈ ગયો. તેની ખરાબ નજર તથા શંકાસ્પદ હિલચાલને એ વેપારીએ જોઈ લીધી, અને વેપારીના પેટમાં ફાળ પડી. એ વેપારીને આઈ તરફ ખૂબ પૂજ્યભાવ હતો. સર્વે ચારણોને એ માનની દૃષ્ટિએ જોતો. એટલે તેણે ધાનાનૈયા ગઢવીને સાઈડમાં બાજુ બોલાવીને આખી વાત સમજાવી અને ચેતવણી આપી કે હવેથી ક્યારેય પણ તે આઈ જીવણીને સરધારમાં સાથે લાવશો નહીં. વેપારીની વાત સાંભળીને તરતજ ધાના ગઢવી બીજાં કામ પડતાં મૂકીને ઉતાવળ કરીને આઈ સાથે પોતાને નેસ પાછા જતા રહ્યા. આઈ જીવણીએ પિતાને પૂછ્યું કે બાપા, એ વેપારી એ તમને ખાનગીમાં એવું તો શું કીધું કે આપણે બધા કામ પડતા મૂકી ને નેસ આવી ગયા? પિતાએ જવાબ આપ્યો કે બેટા, એ વાતમાં તમારે જાણવા જેવું કાંઈ છે નહિ. એટલે આઈ બોલ્યા કે બાપ તમે ન કહો તો પણ હું બધું સમજી ગઈ છું. એ તમને બાકરખાનથી ચેતતા રહેવાનું કહેતા હતા, પણ સાંભળી લ્યો બાપુ ! તમે કોઈ ચિંતા કરતા નહીં. બાકરખાનના દિવસ હવે પૂરા થઇ ગયા છે. મા જગદંબાએ એનો ફેંસલો પાડવાનું નક્કી કરી લીધું છે અને માં જગદંબા એ આ કામ મને સોંપ્યું છે. એ સાંભળીને ધાના નૈયા બોલ્યા કે બેટા તારી વાત સાચી, સાત આગળ આપણે ચરણો શું કરી લેવાના? આપણે તો ઉચાળા ભરીને જેમ બને તેમ અહીંથી જલદી જતા રહેવું છે, કારણ કે આ તો આબરૂનો સવાલ અને જાનનું જોખમ છે. આવું જોખમ આપણે ચરણો એ ના ખેડવાનું હોય.


ધના નૈયા ની આવી વાત સાંભળીને આઈની આંખોમાંથી તેજ છૂટ્યા અને ધીમા ગંભીર સ્વરથી ગાજતી આત્માના ઊંડાણથી એમની વાણી નીકળી કે, ‘બાપુ ! ધર્મ પર ધાડ આવતી હોય, બાઈઓ-બહેનોનાં શિયળ લૂંટાતાં હોય ત્યારે ભયથી ઉચાળા ભરીએ તો પછી ચારણધર્મ ક્યાં રહેશે ? ચારણ આઈને વળી ડર કેવો અને જોખમ કેવું ? જો આપણે ચારણ થઇ ને જોખમ ન ઉઠાવીએ તો પછી નવ લાખ લોબડીયાળીયું ના વારસ આપણ ને કોણ કહેશે ? બાપુ ! આ અધર્મીને ઉખેડી નાખવાની મા જગદંબાએ મને આજ્ઞા કરી છે અને માતાજીની એ આજ્ઞાનું પાલન કરવા માટે મારા જીવનનું બલિદાન આપવાની મેં પણ પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞા હવે તો તમે જોજો આવતી કાલે જ પૂરી થશે.’

ધાના નૈયા આઈનું એ દિવ્ય રૂપ જોઈ, ચારણત્વના ગૌરવથી ભરપૂર એમની અભયવાણી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. માતા તથા સૌ કુટુંબીજનો પણ પ્રભાવિત થઈ દિગ્મૂઢથઈ ગયાં. માતા-પિતાને પોતાના દીકરી આઈ જીવણીમાં જગ આખાને વીંટી વળેલ મહાવિરાટ શક્તિ જગદંબાનાં દર્શન થયાં. સૌ કોઈ આઈના પગમાં પડી ગયા અને ધાના નૈયાએ પાઘડી ઉતારી આઈ જીવણી ના ચરણમાં મૂકી બે હાથ જોડી ને બોલ્યા કે, હે મા જગદંબા ! અમે આજ સુધી તમને ઓળખ્યાં નહોતા. એ તો અમારું અજ્ઞાન હતું. હવે જે આપની ઇચ્છા તે મારી-અમારી બધા ની ઇચ્છા. આ વાતચીત બાદ આઈ પદ્માસન વાળી ધ્યાનમાં બેસી સમાધિસ્થ થઇ ગયા.

ધાના નૈયાના નેસમાં જ્યારે આઈ જીવણી એ પોતાના પિતા સાથે ઉપર્યુક્ત વાતમાં મશગુલ હતાં, ત્યારે આ બાજુ સરધારમાં આઈ અંગે પૂરી જાણકારી મેળવીને બાકરખાનનો હજૂરિયો તેની મેડીએ પહોંચ્યો અને બાકરખાનને કહેવા લાગ્યો કે હજૂર, આજ મૈંને જિન્નત કી હૂરસે ભી જ્યાદા એક ખૂબસૂરત ઔરત દેખી હૈ, જિસકી પૂરી તારીફ જબાન સે તો હો હી નહીં સકતી..બાકરખાને તેને વચ્ચેથી જ રોક્યો અને કહ્યું કે, બહુત અચ્છા, બહુત ખૂબ, મગર વો કૌન હૈ સો તો તું બતાતા હી નહીં.

હજૂરિયાએ જવાબ વાળ્યો, હુજૂર ! હમારે યહાં સરધારકી હદમેં ચારણ લોગોંકા એક નેસ હૈ, વહાંકી એક જવાન કુંવારી હરરોજ યહાં સરધારમેં ખરીદી કરને કે લિયે આતી જાતિ રહતી હૈ. બાકરખાને કહ્યું કે, ઐસા ! તો કલ તુમ દશ-બારહ આદમી તૈયાર હો જાઓ ઔર જબ વહ ઔરત આએ તબ ઉસે યહાં મેરે પાસ લેકર આના. કહના કિ શેખ સાહેબ કો ઘીકી જરૂરત પડી હૈ, ઇસ લિયે રૂબરૂ બાત કરને કે લિયે તુમ્હે બુલાતે હૈં. હજૂરિયાએ જવાબમાં કહ્યું કે, માલિક! હમ લોગ તો તૈયાર રહેંગે મગર લોગ માનતે ભી હૈ ઔર કહેતે ભી હૈં, કિ વહ ઔરત માતાજી હૈ – દૈવી હૈ ઔર બડી હી કરામતવાલી ઔરત હૈ. બાકર ખાને જવાબ આપ્યો કે, હિન્દુ લોગ તો મૂરખ હૈં – કૌનસી કરા

મત ! ઔર કૌન માતજી યે તો સબ વહમકી બાતે હૈ. જો હો સો દેખા જાયેગા. આખિર હૈ તો ઔરત હી ના ? ઇસ લિયે જબ વહ આયે તો ઉસકો યહાઁ બુલા કર લાના. ઔર અગર ના આયે તો પકડ કર લાના સમઝા ? હજૂરિયો બોલ્યો, જી હજૂર ! નહિ આયેગી તો પકડ કર લાયેંગે જરૂર.

બીજે દિવસે સવારના બીજા પહોરમાં સ્નાન બાદ ધ્યાન-પૂજાથી આટોપી ને આઈએ સરધાર બાજુ પ્રયાણ કર્યુ. ધાના બાપુ પણ આઈની સાથે જ હતા. નેસમાં સૌ કોઈ ને આ વાતની જાણ થઈ ગયેલી. એટલે નેસના સર્વે સબળા ચારણ ભાઈઓ તથા બધી બાઈઓ પણ ચારણવટની પ્રતિષ્ઠાની લાજ રાખવા માટે, પોતાના ઇષ્ટ દેવી જગદંબાનાં માન-મર્યાદાનો ભંગ થાય તે પહેલાં મરી મટવાના અનુપમ નિર્ણય સાથે આઈની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આઈએ બધા ને સૂચના આપી દીધી કે, તમારે કોઈએ કંઈ પણ ઉતાવળ ભર્યું પગલું ભરવાનું નથી. બાકરખાનની સાથેનો હિસાબ હું જાતે જ સમજી લઈશ. મારા તરફથી આજ્ઞા થાય તો અને તો જ તમારે આગળ આવવું, નહિતર તમારે બધાએ મૂક સાક્ષી બનીને જોયા કરવાનું. જગદંબા પોતાનું કાર્ય જાતે જ કરશે. સૌએ આઈની આજ્ઞા માથે ચડાવી લીધી. આઈ અને બીજા બધા સરધારમાં પહોંચ્યાં ત્યાં બાકરખાનનો હજૂરિયો તેના દસેક સાથીઓ સાથે રાહ જોઈને ઊભો હતો. તેણે દૂરથી આઈને આવતાં જોયાં એટલે તરત જ દોડીને બાકરખાનની પાસે પહોચી ગયો અને ગામની વચ્ચે જ દરબારગઢની મેડીના બજારના મુખ્ય રસ્તા ઉપરના ગોખમાં બાકરખાનને તેડી લાવ્યો અને બજારમાં દૂરથી આવી રહેલી આઈ જીવણી તરફ આંગળી ચીંધીને બોલ્યો કે, ‘દેખિયે હજૂર ! વહ ખુબસુરત ઔરત આ રહી હૈ.’

ઈનું અનુપમ અલૌકિક રૂપ અને ગૌરવભરી ચાલ પ્રતિભા જોઈને બાકરખાન છક્ક થઈ ગયો, પરંતુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તે ન્યાયે તેનાં અજ્ઞાનનાં પડળ ઊઘડ્યાં નહીં. કામુકતાના કાદવમાં ખૂંચેલા એ પાપીએ હુકમ બજાવ્યો કે, જાઓ, જલદી જાઓ ઔર વહ જિન્નત કી પરી કો યહાં બુલા કર લાઓ. આજ્ઞા થતાં જ હજૂરિયો દોડ્યો ગયો અને પોતાના સાથીદારોને સાથે લઇ આઈની પાસે પહોંચી ગયો અને આઈને કહ્યું કે, આપકો શેખ બાકરખાન સાહબ બુલા રહે હૈં, ચલો હમારે સાથ આઓ.

એ દરમિયાન આઈએ હજૂરિયાને ઉત્તરવાળ્યો કે, હું ન આવું તો તમે શું કરી લેશો? હજૂરિયાએ કહ્યું કે, નહિ આઓગી તો હમ તુમ્હે પકડ કર લે જાયેંગે. એટલે આઈ તિરસ્કારભર્યા અને ગંભીર સ્વરે બોલ્યાં, એમ ! મને પકડીને લઈ જશો ? કોણ પકડનાર છે અહીંયા ? એમ કહીને આઈએ બંને હાથ ને મસળ્યા, ઘસ્યા ત્યાં તો આઈ જીવણીના અંગ પ્રત્યંગથી અગ્નિના તણખાઓ ઝરવા લાગ્યા અને આઈએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તે જોઈને પકડવા આવેલા હજૂરિયાઓ ભાગ્યા.

ત્યાં આઈએ ગગન ગજવતો પડકાર કર્યો, ક્યાં છે તમારો બાકરખાન ? ક્યાં છે એ લંપટ? ત્યાં મેડી ઉપર ? એમ કહેતાં કહેતાં પોતે બાકરખાનની મેડીના પ્રાંગણમાં દાખલ થઇ ગયા

અને ધમધમધમ દાદરો ચડવા લાગ્યાં. ઉપર જઈને જુએ તો બાકર ખાન રેશમી કપડાં પહેરી મૂછોને વળ દેતો પલંગ ઉપર પડ્યો હતો. તે દાદરાના ધમધમાટને સાંભળીને ઊભો થઈને આઈને ભેટવાની ઇચ્છાથી આઈ ની સામો આવ્યો, પણ આઈનું વિકરાળ રૂપ જોઈને તે જરા ખચકાણો.

ત્યાં તો આઈએ પડકાર કર્યો ! બાકર ખાન શેખ ! તારે મારુ રૂપ માણવું છે ? આવ તું હાલ્યો આવ. ચારણ આઈનું રૂપ કેવું હોય તે તું આજે જોઈ લે. એમ કહેતાં તો આઈએ સિંહણ ની રૂપ ધારણ કર્યુ અને ભયંકર ગગનભેદી ગર્જના કરી બાકર ખાન પર ઝપટ કરી. બાકરખાન ભાગી નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો, ત્યાં હાથનો ઝપાટો લગાવીને સિંહણ નું રૂપ લીધેલા આઈએ તેને પછાડી દીધો. બાકરખાન ઊભો થવા ગયો ત્યાં બીજો પંજો તેના માથા પર પડ્યો અને તે પછડાટ ખાઈ ગયો. આઈ બાકરખાન પર ચડી બેઠાં. બાકરખાન ના મોતિયા મરી ગયા હતા, હોશહવાસ ઊડી ગયા હતા. મોતના મુખમાંથી છૂટવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ બધું વ્યર્થ , સિંહણ બનેલાં એ સિંહમુખી આઈ જીવણીએ તેની છાતી ચીરી નાખી. તેને યમધામમાં પહોંચાડી દીધો. બાકરખાનને ઉંચકીને નીચે રસ્તા પર ફેંક્યો અને ફરીને ગગનભેદી ડણક કરી. બાકરખાનની મેડી, માળિયાં, મહેલ ધ્રૂજવા લાગ્યા અને આઈ સિંહમોઈ – જીવણી માં મેડીએથી ગર્જના કરતાં કરતાં નીચે ઉતરી ગયા, આ બાજુ શહેરની સર્વ હિન્દુ ચારણ પ્રજા દોડી આવી ગઈ. સૌ પ્રથમ ધના નૈયા અને ચારણો સિંહણનું સ્વરૂપ લીધેલા આઈને પગે લાગ્યાં.

જય માતાજી, જય માતાજી” ના ઘોષ ગાજવા લાગ્યાં. સૌ હાથ જોડી માતાજી ને પગે લાગ્યા, પણ બાળકો, આઈનું આવું સિંહણ સ્વરૂપ જોઈને ડરી ગયા એટલે આઈ જીવણીએ પોતાની લીલા સંકેલી લીધી, અને ફરીથી માનવ શરીર ધારણ કરીને બંને હાથ ઊંચા કરી સૌને આશીર્વાદ આપવા લાગ્યા અને બોલ્યાં, ‘બાકર ખાનને એનાં પાપોની સજા મળી ગઈ છે. મારું જીવનકર્તવ્ય, તમને બાકરખાનના ત્રાસમાંથી મુક્ત કરવાનું કર્તવ્ય અહીં પૂરું થયું છે. માતાજી-જગદંબા એ મને પોતાની પાસે છે. એટલે હું તમારી સૌની, સૌ ચારણોની અને સરધારની પ્રજાની, મારા કુટુંબીજનોની અને મારા માતા-પિતાની સદા માટે વિદાય લઈશ. મારે સતી થવું છે, હું આ શરીર છોડીને આખા વિશ્વમાં અને તમારામાં હૃદયોમાં વ્યાપી જઈશ. આ નાનું ખોળિયું છોડીને બ્રહ્માંડને આવકારતાં જગત જનનીના સ્વરૂપ સાથે મળી જઈશ. એટલે મારું શરીર નહીં હોય પરંતુ હું તમારી સાથે હર હંમેશ રહીશ. માટે કોઈએ દુ:ખ લગાડવાનું કે આંસુ પાડવાનાં નથી. હવે તરત જ મારી ચિતા તૈયાર કરાવો.’

દરમિયાન સરધારની દક્ષિણ બાજુએ હાલે જ્યાં આઈ જીવણી નું સ્થાનક છે ત્યાં ચંદન, શમી, પીપળ, ઉંબરો, વડ વગેરે પવિત્ર વૃક્ષોનાં લાકડાની ચિતા તૈયાર કરાઈ. નારિયેળથી ચિતા ને સજાવવામાં આવી અને તેના પર ઘીનું રેડવામાં આવ્યું. આઈ જીવણીએ સોળે શણગાર સજ્યા. હાથમાં ત્રિશૂળ લીધું, શરણાઈઓ એ સૂરો રેલાવી વાતાવરણને ભરી દીધું. ત્રાંબાળુ ઢોલ ગાજવા લાગ્યા. કુમારિકાઓ મંગળ ગીતો ગાવા લાગી.

ચારણ નેસની બાળાઓ-બહેનો ચરજો ગાવા લાગી. ચારણો છંદો અને ચાડાઉ ચરજો બોલવા લાગ્યા. ધૂપોના ધમરોળથી આકાશ છવાઈ ગયું. અબીલ-ગુલાલની એલી મચી ગઈ અને આઈ જીવણી (માં સિંહમોય) મોટા સમારોહ સાથે ચિતા ના સ્થાને આવ્યા. ચિત્તાની પૂજા – પ્રદક્ષિણા કરી, ગંગાજળનો છંટકાવ કર્યો. પોતે સૂર્યનારાયણને, જળને, પૃથ્વીને વિશ્વસ્વરૂપ આકાશને, અગ્નિને, વાયુને હાથ જોડી ને નમસ્કાર કર્યા. જનમેદની તરફ પ્રથમ હાથ જોડ્યા અને પછી હાથ ઊંચા કરી બધાને આશીર્વાદ પણ આપ્યા અને જય જગદંબા, જય જગદંબાની ધૂન ગાજી ઊઠી. આઈએ ચિતા પર આરોહણ કરી પદ્માસનવાળી બિરાજમાન થઇ ગયા, અને જગદંબાનું સ્મરણ કરી આહવાન કર્યુ હાથ મસળ્યા અને તેમાંથી અગ્નિશિખાઓ પ્રગટી. જય જગદંબા – જય જગદંબાના નાદની મંગળધૂનના સથવારે જગદંબા આઈ શ્રી જીવણીના શરીરને અગન જવાળાઓએ લપેટી લીધું.

આ સિંહણ ના સ્વરૂપના દર્શન આપ્યું પછીથી આઈ જીવણીમાંનું નામ સિંહમોઈ પડયું. જેનો એક છંદ ખુબ જ પ્રચલિત છે.

 

‘ઓ હરણ કારણ આઈ, બાકર માર્યો બાઈ’

આઈ જીવણી ના સતી થવા સાથે એક બીજી પણ લોકવાયકા જોડાયેલ છે જે છે આઈ જીવણી નો બીજો અવતાર “આઈ જશું”, આઈ જીવણી ના સતી થયા પહેલા એમના પિતા ધના નૈયા એ એમને ઘરે પાછા આવવા માટે ખુબ વિનંતી કરેલી પરંતુ માં માન્ય નહીં અને એમને એક વચન આપ્યું કે હું કચ્છમાં અવતાર લઈશ અને જશું નામ હશે મારુ’ આટલું કહ્યું અનો ત્યાં મળશું તેવુ જણાવ્યું ત્યારબાદ આઈ જીવણીએ ભચાઉ તાલુકાના વોંઘ ગામમાં જન્મ લીધો ત્યાં વિકલ શાખાના હાંગા વિકલને ત્યાં જન્મ લીધો તે સમયે ભચાઉ સામખીયારી વચ્ચે ૨૦ થી ૨૨ કિલોમીટરનું અંતર એટલે વાણીયા દ્વારા ગઢવીને ચરજ કરવામાં આવી કે જો ગઢવી વચ્ચે નેસડા બાંધે તો સંતો ત્યાં અપાસરો મળી શકે હાલ પણ ત્યાં મોટો અપાસરો જોવા મળે છે.

આ પછી જીવણી આઈના પિતાએ માં જીવણી ને પુછયું કે ક્ચ્છમાં ઘણી જશુ હોય, માં મારે તને ઓળખવી કેવી રીતે? ત્યારે આઈ જીવણી બોલ્યા કે જયાં સુધી તમે નઈ આવું ત્યાં સુધી હું કંઈ બોલીશ નહિ અને માથે ધાબળી પણ ઓઢીશ નહિ આવી નીશાની આપી. આ વાત ને ૧૦ થી ૧૨ વર્ષ પુરા થયા એટલે ધાના નૈયા કચ્છનાં પ્રવાસે માં જીવણી ને શોધવા નીકળ્યા અને વિકલ નેસમાં આવી પહોચ્યા, ત્યાં કચ્છનાં એક ગઢવીએ પૂછ્યું કે તમે કાઠિયાવાડમાંથી આવતા લાગો છો તમારું ગામ કયું છે? ત્યારે ધાનાનૈયા એ કીધું કે અમે રાજકોટ નજીક સરધારથી આવીયે છીએ ત્યારે ગઢવી હાંગા વિકલ અને બાકીનાં લોકો બોલ્યા કે ત્યાં તો જીવણી આઈ ધાના નૈયાને ત્યા અવતર્યા છે એજ ગામ કે બીજું?.

ધાના નૈયા બોલ્યા કે હા એ જ ગામ અને હું પોતે ધાના નૈયા એટલે કે આઈ જીવણીનો બાપ છું, અને આઈ જીવણીની શોધમાં આવ્યો છું. અને ધાના નૈયા રોવા માંડયા ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરાવીએ તમે ખાલી બોલો કે કયાં જવું છે? ત્યારે ધાના નૈયા બોલ્યા કેહું તો માત્ર મારી દિકરી જીવણીની શોધમાં આવ્યો છું, જે જશુ નામથી કચ્છમાં અવતરેલ છે, હાંગાવિકલે જણાવ્યું કે મારી દિકરીનું નામ પણ જશુ છે. પણ એ કાંઈ બોલતી નથી અને માથે ઓઢતી પણ નથી ત્યારે ધાનાનૈયાએ કહ્યું કે હવે તો મારે એને મળવું છે. હાંગાવિકલની સાથે ધાના નૈયા એમની ઘરે ગયા અને જશુ બોલી અને ધાબળી ઓઢી એના બાપ ધાના નૈયાને વળગી ગઈ.

એ સમય પછીના છ મહિનામાંખૂબજ યાત્રાળુ આવવા માંડયા અને આઈને નિવેદ ચડાવવા માંડયા, ઘણો સમય વીતી ગયો જેની કોઈ ખબર ના પડી, એ પછી ભૂજનાં રાજા એ તેમ નાં બહેનને ઈડરમાં પરણાવ્યા હતા પરંતુ ઈડરનાં રાજાને બીજી સ્ત્રી પ્રીય હતી તેની સાથે લગ્ન કરી લીધા જેથી ભૂજના રાજકુવરીનું માન ઘટી ગયું, તેથી ભૂજનાં રાજાની ચિંતાઓ વધી આ વાત અંગે ભૂજનાં રાજાએ તેની બહેનને સંદેશો મોકલ્યો કે તને હેરાન કરનારને ખેદાન મેદાન કરી નાખીશ, તે સાંભળી બહેને ના પાડી કારણ કે યુધ્ધ થાય તો પોતે વિધવા થઈ જાય. આ વાત ની જાણ ચારણ ને થઈ,

રાજા એ ચારણ ને બોલાવી ને કહ્યું કે કવિરાજ તમે રસ્તો કાઢસો? ત્યારે ચારણે કહ્યું કે હવે તમામ બાબત હું જોઈ લઈશ અને કવિરાજ ગયા ઇડર, ઈડરનાં પહાડ પર બેસી વાંજીત્ર વગાડયુંં જેની જાણ ઈડરનાં રાજાને થઈ અને રાજાને ચારણનું વાંજીત્ર ખૂબજ ગમી ગયું, રાજાએ આદેશ કર્યો કે આ વાજીત્ર વગાડનારને રાજ મહેલમાં લઈ આવો, રાજા ના આદેશ મુજબ તે ચારણ રાજ મહેલમાં આવ્યા. એટલે ભૂજનાં રાજકુંમારી કચ્છનાં પહેરવેશ પરથી ઓળખી ગયા કે ચારણ કચ્છના છે એટલે રાણીએ તે ચારણને બોલાવ્યા. અને તેની સાથે વાત કરીને જણાવ્યું કે રાજાને તમે કચ્છથી આવો છો તેવી વાત ન કરે.

પછી રાજાએ તે ચારણને બોલાવી યંત્ર વગાડવા કહ્યું ત્યારે ચારણે તાર મેળવ્યા પણ તાર મળ્યા નહિ અને ચારણે જણાવ્યું કે સાચી ક્ષત્રિયાણીને તમારી બાજુ માં બેસાડો આ પરસ્ત્રી સામે મારુ યંત્ર સુર નહિ આપે, ત્યારે રાજાએ સાચી ક્ષત્રીયાણી ભુજની રાજકુમારીને બેસાડી, ચરણે ઈડરનાં રાજાને યંત્ર વગાડી સંભળાવ્યું, રાજા લીન થઈ ગયા. ઈડરના રાજેએ ધરેણા સોના મહોરો આપવા માંડયા ત્યારે ચારણ બોલ્યો કે મારે ધરેણાની ભૂખ નથી રાજપૂત, રાજા બોલ્યાકે જે જોય તે બોલો, ત્યારે ચારણે કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાંમોહી તમે પરણ્યા છો તેને છોડી અને સાચી ક્ષત્રીયાણી ને તમારી સાથે રાખો, ત્યારે રાજાએ ચારણનું માન રાખી ક્ષત્રીયાણીને સાથે બેસાડયા, ચારણ ભૂજ પાછા ફર્યા અને ભૂજનાં રાજાને કહેડાવ્યું કે રાજકુવરી હવે ઈડરમાં સલામત છે. ત્યારે ભૂજના રાજાએ ઈડર ગયા ત્યારે પરત ફરતા રસ્તામાં વોંઘ આવ્યું ત્યારે તમામ લોકો બોલ્યા કે ભૂજના રાજા આવે છે તો વ્યવસ્થા કરવી પડે.

ત્યારે જશું માં બોલ્યા કે શેમાં આવે છે. ભૂજનો રાજા લોકો બોલ્યા કે રથમાં આવે છે. ત્યારે જશું માં એ ક્હ્યું કે જયાં સુધી ચારણોનાં નેસડા હોય ત્યાં સુધી કોઈપણ વ્યકિત હાથી પર બેસીને ન નીકળી શકે. આ સંદેશો ભૂજનં રાજા સુધી પહોચ્યો અને રાજાને ખબર પડી બાર તેર વર્ષની ચારણની દિકરી આ બોલે છે. ત્યારે રાજા આ ચારણી આઈના દર્શને ગયા ત્યારે રાજા બોલ્યાકે ભૂજીયા નાગને વસમાં કરો તો હું માનું ત્યારે આઈ જશું એ ભુજીયા નાગને દુધ પીવડાવ્યું અને નાગ દુધ પીને નાગ ફરી રાફળામાં જતો રહ્યો.

અને ત્યારે જ આઈ જશું ને થયું કે આવી દુનિયા સમક્ષ ના રહેવાય એટલે માતાજી એ ધરતીમાં સમાઈ જવાનો નિર્ણય લઇ લીધો, નવલાખ લોબળીયાળીયું આવી અને આઈ જશુંને ધન્યવાદ પાઠવતા કહ્યું કે આઈ તેતો ચારણ સમાજની લાજ રાખી, આઈ જશુ માને કંઈક માગવા માટે કહ્યું પણ જશુ આઈ બોલ્યા કે મારે બસ નવલાખ લોબળીયાળીયુંના આશિર્વાદ જોઈ એ ‘મારી સાથે તમે નવેલાખ આઈ અહિયા વાસ કરો’ ત્યારથી વોંઘમાં પણ નવલાખનો થળો છે.

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators