આમલકી એકાદશી | કાઠિયાવાડી ખમીર
તેહવારો

આમલકી એકાદશી

વિક્રમ સંવત પ્રમાણે, ગુજરાતી પંચાંગના વર્ષના પાંચમા માસ ફાગણ મહિનાની સુદ અગિયારસને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યો હતો. આમલકી એકાદશી વિષયક કથા ખાસ કરીને ચૈત્રરથ રાજ્યના ધર્મનિષ્ઠ અને ગરીબ પારધીના જીવન સાથે સંકળાયેલી છે. આ કથા આપણા પુરાણોમાં પણ વિગતવાર વર્ણવવામાં આવી છે અને આ એકાદશીના મહિમાને ઉજાગર કરે છે.

આમલકી એકાદશીનું મહત્વ અને પૌરાણિક કથા

પ્રાચીન કાળના વિખ્યાત ઋષિ વશિષ્ઠ મુનિએ રાજા માંધાતાને આમલકી એકાદશીનો મહિમા સમજાવતાં એક સુપ્રસિદ્ધ કથા કહી છે.
ફાગણ સુદ અગિયારસ, જેને જયા એકાદશી અથવા આમળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, તે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. આ દિવસે વ્રત કરનારને હજારો ગાયોના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પાપોનો નાશ થાય છે.

કથા સંક્ષેપ
એક સમયની વાત છે કે વૈદિશ નામના સુંદર અને ધર્મપ્રધાન નગરમાં ચારેય વર્ણના લોકો સુખ-શાંતિથી વસતા હતા. ત્યાં કોઈ નાસ્તિક ન હતો, તમામ લોકો ભગવાનની ભક્તિમાં તત્પર હતા. દુઃખ, દુષ્કાળ કે પાપના લક્ષણો પણ ત્યાં નહોતાં.
અહીં સોમવંશમાં જન્મેલ ધર્માત્મા નામના રાજા વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમની પ્રજા પણ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરીને ઉપવાસ કરતી. રાજાનું પુત્ર ચિત્રરથ પણ અત્યંત ધર્મનિષ્ઠ અને વિદ્વાન હતો.
ફાગણ સુદ અગિયારસના દિવસે સમગ્ર રાજ્યમાં આમળા એકાદશીનું વ્રત ઉજવાયું. નદીમાં સ્નાન કરીને રાજા અને પ્રજાએ મંદિર જઈ ભગવાન વિષ્ણુની પૂજા કરી. આ સાથે તેમણે આમળાના વૃક્ષની પણ ભક્તિપૂર્વક પૂજા કરી, કારણ કે આમળું ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે.

વિશેષ પૂજન વિધિ
ચિત્રરથએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સુગંધિત દ્રવ્યો અને પંચરત્નોથી ભરેલો કુંભ સ્થાપિત કર્યો, તેના પર છત્ર ધરાવ્યું અને તેના નીચેએ પરશુરામજીની મૂર્તિ સ્થાપિત કરી પૂજન કર્યું. તેમણે પ્રાર્થના કરી:


“હે ભગવાન પરશુરામ, હે જમદગ્નિ પુત્ર! તમે જેમ આમળાના વૃક્ષની છાંયે ભક્તિ-મુક્તિ આપો છો, તેમ આજે અમને પણ આશીર્વાદ આપો.”

ત્યાં ઉપસ્થિત સૌએ આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી, તેને અર્જ્ય અર્પણ કર્યું અને રાત્રે જાગરણ કર્યું.

પાપી પારધીનું જીવનપલટ:
તે રાત્રે એક પારધી ત્યાં આવી ચડ્યો, જે પોતાનાં પરિવારના પોષણ માટે હિંસા અને પાપમાં જીવન વિતાવતો હતો. તેણે જયારે આ પૂજન અને દીપમાલા જોયી ત્યારે કુતૂહલવશ તે પણ ત્યાં રોકાઈ ગયો.તે પારધી જાણે-અજાણે જાગરણમાં જોડાયો, કથા સાંભળી, ભક્તિમાં સહભાગી થયો અને આખી રાત જાગ્યો. ત્યારબાદ તે મૃત્યુ પામ્યો, પરંતુ એકાદશી વ્રત અને જાગરણના પુણ્યને કારણે તેનો પુનર્જન્મ વિદુરથ નામના રાજાને ત્યાં થયો.
એ બાળકનું નામ વસુરથ રાખવામાં આવ્યું. વસુરથ રાજા પરાક્રમી, પ્રજાવત્સલ, ધર્મનિષ્ઠ અને દાનશીલ બન્યો. તેણે અનેક યજ્ઞો કર્યા, લોકકલ્યાણમાં જીવન અર્પ્યું અને એક યશસ્વી શાસક તરીકે ઓળખાયો.

આમળા એકાદશીનો નિષ્કર્ષ:
આમળા એકાદશીનું વ્રત રાખનાર નિઃસંદેહ ભગવાન વિષ્ણુના લોકને પામે છે.
આ દિવસના વ્રત, જાગરણ અને ભક્તિથી પાપનો નાશ થાય છે અને ભક્તને પવિત્રતા તથા આધ્યાત્મિક ઊંચાઈ મળે છે.

 

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators