September 12, 2026

ઈતિહાસ

સૌરાષ્ટ્રનો ઈતિહાસ,

મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..

ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…

 

ચાલો તરણેતરના મેળે

તરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ…

ઉપરકોટ કિલ્લો -જુનાગઢ

ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી…

તુલસીશ્યામ

વિશેષતા: કુદરતી ગરમ પાણીના કુંડ, ઐતિહસિક વિષ્ણુ મંદિર સ્થળ: હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે.…

મણી(વાઘ) મંદિર -મોરબી

> ધરતીકંપમાં મોરબીનાં મણી મંદિર મહેલમાં ભારે નુકસાની થઇ હતી > ૨૫ કરોડનાં ખર્ચે મહેલે ફરી સાજશણગાર સજ્યાં…

સોમનાથ મંદિર

ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે.…

જલા સો અલ્લા

થયા હતા એવા ચમત્કાર અને કહેવાયું, “જલા સો અલ્લા” આજે પણ ગરીબ, ભૂખ્યા, દુખ્યા, રોગી, ભોગી બધા માટે…

હમીરજી ગોહિલની વાત

લોક-સાહિત્યકાર ઈશરદાન ગઢવીના અવાજ માં આજે સાંભળો સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઈતિહાસ, ઇશરદાન ગઢવી નો પડછંદ અવાજ…

કનકાઇ માતાજી -ગીર

કનકાઇ માતાજી કનકાઈ-ગીર: શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક…