September 12, 2026

ઈતિહાસ

સૌરાષ્ટ્રનો ઈતિહાસ,

મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે, ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે.. માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે. આ સંત અને સુરા ની ભૂમિ સૌરાષ્ટ્ર સોરઠ કાઠીયાવાડ છે.. એક કાઠીયાવાડી શું છે એનું વર્ણન કરવા માટે કંઈ કેટલા પાના ઓછા પડે. તમારા બધા ના રૂદિયા માં ક્યાંક દ્વારકાધીશ રેહતો હશે, તો ક્યાંક ક્યાંક ભોળિયોનાથ વસતો હશે, ક્યાંક ક્યાંક સોરઠ નો સાવજ ગરજતો હશે, ક્યાંક તો વળી ઝાલાવાડી ખુમારી, અને ક્યાંક ગિરનારી શાંતિ રમતી હશે. દોસ્તો, કાઠીયાવાડી ને મારા કરતા તમે વધારે જાણો છો. ચાલો આપણે સહુ સાથે મળી ને નાત જાત ના ભેદભાવો ભૂલીને ભારતીય હોવાનો ગર્વ લિયે, આપણી માતૃભાષાનું સંવર્ધન કરીએ..

ઇંગ્લેન્ડ ગ્રીસ અને રોમ ની તવારીખોની જોડમાં બેસે તેવી ઘટનાઓ કાઠીયાવાડની ભૂમિ પર બનેલી છે, પણ આજની સેક્યુલર અને કોન્વેન્ટ ને ભણવાવળી પેઢી થી અજાણ છે, આ બ્લોગમાં તમે સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ ની શુરવીર હસ્તીઓ, પ્રભુ ને પોતાના ઘરે આવવા મજબુર કરે તેવા સંતો, સતીઓ, શુરવીરો અને વીરાંગનાઓ વિષે માહિતી મેળવી શકશો, આ ઉપરાંત લોકગીતો, બાળ ગીતો, શૌર્ય કથાઓ, ભજનો તો ખરા જ…

 

લાઠી-તલવાર દાવ

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં…

રાજકોટ અને લાઠી

રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ…

રા’ ના રખોપા કરનાર

આહિર દેવાયત બોદર ની ખાંભી બીજું વાંચો આહિર જ્ઞાતિ નો ઈતિહાસ દેવાયત બોદર ઈતિહાસ દેવાયત બોદરની પ્રતિમા –…

23 માર્ચ, શહીદ દિવસ

23 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને…

કાઠી અને કાઠીયાવાડ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી…

જાત ન પૂછું જોગડા

”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી…