September 11, 2026

કાઠીયાવાડી છે

November 15, 2016  ·  1 મિનિટ વાંચન

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.

પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે,
હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે.

સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય,
મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે.

ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી છે,
ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે.

ખાંભીએ-ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે,
રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે.

અહીંસા તણી આંધી ફુકી, પણ સુરજ નહોતો આથમતો,
લાકડી લઇને તોપુ તગેડી એ ગાંધી કાઠીયાવાડી છે.

ગોકુળીયામા ગમ્યુ નહી, મથુરા મુકીને ભાગ્યો હતો,
રણ-રણ જઇને છોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે.

અનુભાઈ હરિયાણી (કવિઅનુપ)

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…