September 16, 2026

કણબી કવિતા લખે છે

January 5, 2021  ·  2 મિનિટ વાંચન
હળને મૂકી વેગળુ કણબી કવિતા લખે છે,
મૂળ જામ્યા માટીની મીઠી મહિમા લખે છે.
જો પડે વરસાદ તો ખળખળ સરિતા લખે છે,
ને પડે દુકાળ તો એના નતિજા લખે છે.
આશા એને એટલી કે ટંક પુરુતુ મળે ભોજન,
સંઘરો કરવા સમી ના એ મનીષા લખે છે.
માસ બારેબાર વિતાવે ઘર આખું ખેતર માં,
ને હિસાબો કરતા વરસે ખાલી ખિસ્સા લખે છે!
ભાન નથી આકારણી કરતા બધા સાહેબોને,
કે વિધવા ખેડુ ના કર્મ બડીકા લખે છે!
કોઈએ એને પડાવો લગ નથી પોહચવા નથી દીધો,
ચોપડે સરકાર એને લખપતિ માં લખે છે!
ભાર ખુદ નો ખુદ વહે છે જાતના ઘુસરે જુતી,
ભાર હળવો કરવા ક્યાં કોય તરિકા લખે છે?
સાંભળે ના કોઈ એની દાદ,દયા કે વિનવણી,
મૂંગા મોઢે બેસી એ આશુ ના ટીપાં લખે છે!
ભોંળવિને એને લે છે લાભ નેતા સવાયો,
ને પછી તો પાચ્ વર્ષ એની કિટ્ટા લખે છે!
આ ગઝલ સમજાય તો વહારે થજો ખેદુનિ”સરલ”
બાકી એના દર્દ્ ની એ ખુદ દુવિધા લખે છે.
રચના:ચન્દ્રકાન્ત પટેલ ”સરલ”

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…