ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન તળાવ તેના સુબા પુષ્યમિત્ર વૈશ્યની દેખરેખ હેઠળ બાંધ્યું હતું, ત્યાર બાદ અશોક ના સમયમાં તુષાસ્યએ તેમાંથી નેહરો કાઢી અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી પહોચાડ્યું હતું, આ તળાવ ભારે વરસાદ અને પુરના કારણે તૂટી ગયું, જેનું વિસ્તૃત વર્ણન શિલાલેખમાં કરેલું છે, રુદ્રદામને રાજ્યના પ્રધાનોએ રાજ્યની તિજોરી માંથી ખર્ચો આપવાની ના પડતા રાજ્યની તિજોરીને બદલે પોતાના સ્વખર્ચે આ તળાવ સમરાવ્યું, આ નોંધ જોતા સ્પષ્ટ જણાય છે કે રુદ્રદામન બંધારણવાળી રાજવી હતો, તેને જુનાગઢ ખાતેના તેના સુબા સુવીશાખની દેખરેખ હેઠળ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું,
ઐતિહસિક સુદર્શન તળાવ -જુનાગઢ