અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય
“અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય.
એટલે કે – જે કદી ન ખૂટે, ન તૂટે અને ન નષ્ટ થાય. એ જ અખાત્રીજ એટલે વૈશાખ સુદ ત્રીજની પવિત્ર તિથિ, જેને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે.
પૌરાણિક કથાઓમાં અખાત્રીજ:
- પાંડવોના વનવાસ દરમિયાન ભગવાન સૂર્યએ તેમને એક અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્રમાંથી ભોજન ક્યારેય ખૂટતું નહીં હતું. એને કારણે દુર્વાસા ઋષિ જેવા મહાત્માઓને પણ પાંડવે ભોજન કરાવ્યું હતું.
- એક પ્રસંગ અનુસાર બધી તિથિઓ ભગવાન પાસે જઈને પોતાનું મહાત્મ્ય બતાવી રહી હતી – પૂર્ણિમા, ચૌદસ, દશમિ, અગિયારસ… પરંતુ તૃતીયા રડી રહી હતી. ભગવાને પુછ્યું: “તુ કેમ રડે છે?”
ત્યારે તૃતીયાએ કહ્યુ: “મારું કોઈ મહાત્મ્ય જ નથી!”
પ્રભુએ આશીર્વાદ આપ્યો: “તું અક્ષય તૃતીયા તરીકે ઓળખાશે. આજના દિવસે કરેલું દરેક શુભ કાર્ય અખૂટ રહેશે.”
આશીર્વાદ પામ્યા પછીથી તૃતીયા પાવન બની. આજથી એ શુભતારીખ બની ગઈ, જેના માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી.
અક્ષય તૃતીયાનું મહત્વ:
શુભ કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ: લગ્ન, વેપાર, નવા ઘરના પ્રવેશ, દાન, ખરીદી જેવી દરેક શુભ પ્રવૃત્તિ માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- સોનાની ખરીદીનો દિવસ: આજના દિવસે ખરીદેલું સોનું ઘરમાં સમૃદ્ધિ લાવે છે એવી માન્યતા છે.
- ધાર્મિક મહત્વ:
- આજના દિવસે જ કલિયુગનો પ્રારંભ થયો.
- બદરીનારાયણ મંદિરનાં દ્વાર આજથી ખૂલતા હોય છે.
- બાંકે બિહારીજીના ચરણ દર્શન પણ વર્ષમાં ફક્ત આજના દિવસે જ થાય છે.
- ભગવાન વિષ્ણુનો રુદ્રરૂપ – પરશુરામજીનો જન્મ પણ આજના દિવસે થયો હતો.
ઉપસંહાર:
અખાત્રીજ એટલે ભારતીય સંસ્કૃતિનું વિશ્વાસ, પરંપરા અને દિવ્યતા.
આ દિવસ આપણા માટે સંકેત છે કે “આજથી શરૂ કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય ખૂટશે નહીં – તે અક્ષય રહેશે.“







